Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નવસારી : Woman jumps from building, reason for suicide unknown

Navsari news: મહિલાએ બહુમાળી બિલ્ડિંગ પરથી પડતું મૂક્યું, આપઘાતનું કારણ અકબંધ

Timeછેલ્લું અપડેટ : 19 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Navsari news: મહિલાએ બહુમાળી બિલ્ડિંગ પરથી પડતું મૂક્યું, આપઘાતનું કારણ અકબંધ
સોર્સ : GSTV

નવસારીના બીલીમોરામાં એક મહિલાએ 9મા માળેથી કૂદી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. મોડી રાત્રે બનેલી ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. હાલ આપઘાતનું કારણ અકબંધ છે. પોલીસ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. 

App Store

આત્મહત્યાનું કારણ અકબંધ

નવસારીના બીલીમોરામાં આવેલ ભેરુનાથ ટાવરમાં રહેતા 51 વર્ષીય રશ્મિકાબેન પંચાલે 9મા માળેથી મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું છે. પટકાવાને કારણે મહિલાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ આત્મહત્યા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. માતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બીલીમોરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે અને પરિવારજનોના નિવેદન નોંધી આત્મહત્યાનું કારણ શોધવા તપાસ તેજ કરી છે.