Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નવસારી : 38 lakhs fraud committed for not paying dues for farm construction in navsari

Navsari news: વાડીના બાંધકામ પેટે બાકી રકમ ન ચૂકવી 38 લાખની ઠગાઈ આચરાઈ, 4 સામે ગુનો દાખલ

Timeછેલ્લું અપડેટ : 18 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Navsari news: વાડીના બાંધકામ પેટે બાકી રકમ ન ચૂકવી 38 લાખની ઠગાઈ આચરાઈ, 4 સામે ગુનો દાખલ
સોર્સ : GSTV

નવસારીના દરજી સમાજની વાડીના બાંધકામમાં લાખોની છેતરપિંડી મામલે ૪ શખ્સો સામે ગુનો દાખલ કરાયો છે.  'શ્રી દરજી જ્ઞાતિ સેવા મંડળ'ની વાડીના બાંધકામ પેટે બાકી નીકળતી રકમ ન ચૂકવી વિશ્વાસઘાત કરાયો હતો. નવસારી ટાઉન પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. 

App Store

ચાર સામે ફરિયાદ નોંધાઈ

નવસારીના આશાનગર વિસ્તારમાં આવેલી શ્રી દરજી જ્ઞાતિ સેવા મંડળની વાડીના બાંધકામમાં લાખોની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. વાડીના બાંધકામ પેટે બાકી નીકળતી ૨૮.૨૪ લાખની રકમ અને ડિપોઝિટના ૧૦.૬૦ લાખ મળી કુલ ૩૮.૮૪ લાખની ચુકવણી ન કરી વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે. આ મામલે નવસારી, સમરોલી અને મુંબઈના રહીશ એવા હેમંત ટેલર, સંદિપ ટેલર અને પ્રવિણ ટેલર સહિત ૪ શખ્સો સામે ગુનો દાખલ થયો છે.