VIDEO: PM મોદીએ સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી, લોકોને લેવડાવ્યા એકતા દિવસ પર શપથ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયામાં છે. એકતા દિવસની ઉજવણી પર પીએમ મોદીએ સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. PM મોદીએ આ દરમિયાન લોકોને શપથ પણ લેવડાવ્યા હતા.
PM મોદીએ લેવડાવ્યા શપથ
PM મોદીએ એકતા પરેડમાં ભાગ લીધો
વડાપ્રધાન મોદી સરદાર પટેલને પુષ્પાંજલિ કર્યા બાદ યુનિટી પરેડમાં હાજરી આપવા પહોંચ્યા હતા. આ પરેડમાં 9 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની પોલીસની 16 માર્ચિંગ ટુકડીઓ, 4 કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો, NCC અને માર્ચિંગ બેન્ડે ભાગ લીધો હતો. એકતાનગર કેવડિયા ખાતે આયોજિત આ પરેડમાં જવાનો દ્વારા અનેક કરતબ રજૂ કરાયા હતા.
આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે એકતાનગરમાં 280 કરોડ રૂપિયાની પરિયોજનાઓનું ઉદ્દઘાટન કર્યું હતું અને આધારશિલા રાખી હતી.

