Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નર્મદા : Lack of irrigation water facilities in tribal areas, BJP MP

Narmada news: આદિવાસી વિસ્તારમાં સિંચાઈના પાણીની સુવિધાનો અભાવ, ભાજપ સાંસદનો CMને પત્ર

Timeછેલ્લું અપડેટ : 24 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Narmada news: આદિવાસી વિસ્તારમાં સિંચાઈના પાણીની સુવિધાનો અભાવ, ભાજપ સાંસદનો CMને પત્ર
સોર્સ : GSTV

ભરૂચ નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તારમાં સિંચાઇની સુવિધાનો અભાવ હોવાથી સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. ગરુડેશ્વર, સાગબારા અને ડેડીયાપાડા વિસ્તારમાં સિંચાઈના પાણી માટે આદિવાસીઓ વલખા મારી રહ્યા છે, ત્યારે તેઓને પાણી મળે તેવી વ્યવસ્થા કરવાની રજૂઆત કરી હતી.

App Store

વસાવાએ કહ્યું કે અગાઉના બજેટમાં પણ આદિવાસી વિસ્તારમાં સિંચાઇના પાણી માટે રજૂઆત કરી હતી. પરંતુ આ વખતના બજેટમાં જાહેરાત ન થતા આદિવાસીમાં ભારે નારાજગી છે. સાંસદે વધુમાં જણાવ્યું હતું કે કરજણ અને નર્મદા ડેમ માટે જે લોકોએ જમીનો આપી તેઓનો સિંચાઈ પર સૌથી પહેલો હક છે અને આજે તેઓને સિંચાઈનું પાણી મળતું નથી.