VIDEO:ચૈતર વસાવાના સમર્થનમાં કેજરીવાલનો ભાજપ પર પ્રહાર
સોર્સ : GSTV
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે આવેલા ચુકાદા પર પ્રતિક્રિયા આપતા આપના સંયોજકે અરવિંદ કેજરીવાલે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. કેજરીવાલે જણાવ્યું કે, ચૈતર વસાવા આદિવાસી સમાજનો મજબૂત અવાજ છે અને તેમણે હંમેશા સમાજના અધિકારો માટે લડત આપી છે, જેના કારણે તેમને વારંવાર જેલ જવું પડ્યું છે.આ સાથે જ તેમણે કહ્યું કે, પીએમ મોદીની સભા માટે આખું તંત્ર કામે લાગે છે, જ્યારે ચૈતર વસાવાની લોકપ્રિયતાના કારણે સ્વયંભૂ લોકો તેમની સભામાં આવે છે

