VIDEO: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સેવાકાળના 25 વર્ષ નિમિત્તે નર્મદામાં બાઈક યાત્રા યોજાઈ
સોર્સ : gstv
નર્મદા જિલ્લામાં સેવા સંકલ્પ અભિયાનઅંતર્ગત યોજાયેલી બાઈક યાત્રાનો બીજો દિવસ ઉત્સાહપૂર્વક ઉજવાયો હતો. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીખાતેથી પવિત્ર નર્મદા જળના કળશ સાથે આ યાત્રાનો પ્રારંભ થયો હતો. આ યાત્રામાં મંત્રી પ્રફુલ પાનશેરીયા અને નાયબ દંડક વિજયભાઈ પટેલ વિશેષ રૂપે જોડાયા હતા. તિલકવાડા ખાતે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે સાર્થક સંવાદ યોજાયો હતો અને પર્યાવરણ જાગૃતિ માટે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના યશસ્વી સેવા કાર્યકાળને સમર્પિત આ યાત્રાએ નાગરિકોમાં ભારે ઉત્સાહ જગાવ્યો છે.

