VIDEO: નર્મદા જિલ્લાના રાજકારણમાં મોટો ઉલટફેર, AAPના ભવ્ય વિજયને ચૈતર વસાવાએ ગણાવી જનતાની જીત
સોર્સ : GSTV
નર્મદા જિલ્લાના રાજકારણમાં મોટો ઉલટફેર સર્જાયો છે, ડેડીયાપાડા વિધાનસભા હેઠળની ત્રણેય તાલુકા પંચાયતોમાં 'આપ'નો ભવ્ય વિજય થતા ચૈતર વસાવાએ આ જીતને જનતાની જીત ગણાવી છે. તેમણે ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું કે, એકબાજુ સત્તા, રૂપિયા અને ઘમંડનું જોર હતું, જ્યારે બીજી બાજુ અમારી પાસે જનતાના કામ અને સેવા હતી. લોકોએ અહંકારને નકારીને વિકાસના રાજકારણને પસંદ કર્યું છે, જે આવનારા સમયમાં જિલ્લાના પરિવર્તનની લહેર સાબિત થશે.

