VIDEO: મોરબીમાં એમઆરસીએ નક્કી કરેલા વળતર સામે ખેડૂતોનો વિરોધ
સોર્સ : gstv
વીજલાઈનના વળતર મુદ્દે મોરબી કલેક્ટરની નિવેદનથી વેગડવાવ ગામના ખેડૂતોએ અસહમતિ દર્શાવી. એમઆરસીની કમિટીમાં હાજર રહેલા ખેડૂતે કહ્યું કે, હું કોઈ એમઆરસી કમિટીમાં નથી માત્ર મારો નિર્ણય મારા 3 સર્વે નંબર પૂરતો જ છે. કલેક્ટરની પ્રેસ કોન્ફરન્સ બાદ જેતપર સત્યાગ્રહ છાવણીના ખેડૂતોએ વેગડવાવ ખાતે બેઠક કરી હતી. ખેડૂતોએ એકસૂરમાં એમઆરસીના વળતરનો નિર્ણય ફગાવ્યો હતો અને પોતાની માગ પર મક્કમ હોવાની વાત કહી.

