VIDEO : ઊંઝામાં વૈશાખી પૂનમે મા ઉમિયાની યોજાશે ભવ્ય નગરયાત્રા, 8 કિમીની પરિક્રમામાં ઉમટશે ભક્તોનું મહેરામણ
સોર્સ : gstv
કડવા પાટીદારોની કુળદેવી મા ઉમિયાના ધામ ઊંઝામાં પરંપરા મુજબ આગામી વૈશાખ સુદ પૂનમે ભવ્ય નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્થાનના માનદ મંત્રી જયંતિભાઈ પટેલે વિગતો આપતા જણાવ્યું કે, યાત્રા સવારે 8:00 વાગ્યે નિજ મંદિરેથી પ્રસ્થાન કરી નગરમાં 8 કિલોમીટરની પરિક્રમા કરશે. આ યાત્રામાં હજારો માઈભક્તો અને ભજન મંડળીઓ જોડાશે, જ્યાં ઠેર-ઠેર મા ઉમિયાના રથનું ભવ્ય સ્વાગત અને શ્રદ્ધાળુઓ માટે પ્રસાદની વ્યવસ્થા કરાઈ છે. ખાસ કરીને, ચાલુ વર્ષે કાળઝાળ ગરમીને જોતા સંસ્થાન દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી છે. ભક્તોને મુશ્કેલી ન પડે તે માટે સમગ્ર રૂટ પર મંડપો અને છાંયડાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ ધાર્મિક મહોત્સવને લઈને અત્યારથી જ ઊંઝામાં ભારે ઉત્સાહ અને ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.

