VIDEO: માતાનામઢ બંધારો જર્જરિત, ગ્રામ પંચાયતે તાત્કાલિક સમારકામની માંગ કરી
સોર્સ : gstv
કચ્છના તીર્થધામ માતાનામઢ ખાતે આશાપુરા મંદિર સામે આવેલ સિંચાઈ વિભાગ હસ્તકનો બંધારો અત્યંત જર્જરિત હાલતમાં પહોંચી ગયો છે. ગત વર્ષના ભારે વરસાદ બાદ બંધારામાં મોટી તિરાડો પડતાં હવે તે ગમે ત્યારે તૂટી પડે તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે. બંધારો તૂટે તો ખેતીની જમીન, રહેણાક વિસ્તાર, માર્ગ, મંદિર તેમજ જાનમાલ અને પશુધનને ભારે નુકસાન થવાની શક્યતા છે. સમગ્ર મામલે માતાનામઢ ગ્રામ પંચાયતના સરપંચે તાત્કાલિક સમારકામ કરવા માટે તંત્ર સમક્ષ રજૂઆત કરી છે.

