Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / કચ્છ : Owaisi's entry in Bhuj! Akhilesh Yadav's bicycle raced in Kheda: Upheaval in Gujarat local body elections

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ: ભુજમાં ઓવૈસીની એન્ટ્રી! ખેડામાં અખિલેશ યાદવની સાઈકલ દોડી: ગુજરાત સ્થાનિક ચૂંટણીમાં ઉલટફેર

Timeછેલ્લું અપડેટ : 28 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ: ભુજમાં ઓવૈસીની એન્ટ્રી! ખેડામાં અખિલેશ યાદવની સાઈકલ દોડી: ગુજરાત સ્થાનિક ચૂંટણીમાં ઉલટફેર
સોર્સ : gstv

ગુજરાતમાં 15 નગર નિગમ, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતોની 9,000 થી વધુ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીના પરિણામો ધીરે-ધીરે સ્પષ્ટ થઈ રહ્યા છે. આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને AAP ઉપરાંત ઓવૈસીની પાર્ટી અને અખિલેશ યાદવની સપાએ પણ પોતાની હાજરી નોંધાવી છે.

App Store

ઓવૈસીની AIMIM એ ભુજમાં ગજવ્યું મેદાન

કચ્છના ભુજમાં વોર્ડ નંબર-1માં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM એ જોરદાર એન્ટ્રી કરી છે. ભુજ નગરપાલિકામાં AIMIM ના 3 ઉમેદવારોએ જીત પ્રાપ્ત કરી છે. મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં ઓવૈસીની પાર્ટીએ કોંગ્રેસના મતોમાં ગાબડું પાડ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

SPનું ગુજરાતમાં ખાતું ખુલ્યું

યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવ માટે ગુજરાતમાંથી મોટા સમાચાર આવ્યા છે. ખેડા જિલ્લાની કઠલાલ નગરપાલિકાના વોર્ડ નંબર 4 માં સમાજવાદી પાર્ટીના ઉમેદવારે જીત મેળવી છે. ગુજરાતના રાજકારણમાં સપાની આ એન્ટ્રીએ વિશ્લેષકોને વિચારતા કરી દીધા છે.

ભાજપનો ભવ્ય વિજય, AAP અને કોંગ્રેસની સ્થિતિ

શરૂઆતના વલણ પરથી સ્પષ્ટ થાય છે કે, ભાજપે એકતરફી પ્રભુત્વ જાળવી રાખ્યું છે. મોટાભાગની જિલ્લા અને તાલુકા પંચાયતોમાં ભાજપના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ પણ કેટલીક બેઠકો પર જીત મેળવીને પોતાની પકડ જાળવી રાખવાનો પ્રયાસ કર્યો છે, જ્યારે કોંગ્રેસનું પ્રદર્શન ભાજપની સરખામણીએ નબળું જણાઈ રહ્યું છે.

ચૂંટણીના આંકડા પર એક નજર

અત્રે ઉલ્લેખનીય છે કે, 26 એપ્રિલે યોજાયેલા આ મતદાનમાં 4 કરોડ 18 લાખથી વધુ મતદારોએ ભાગ લીધો હતો. જે પૈકી મહાનગર પાલિકા: 49.02% (શહેરી વિસ્તારોમાં ઓછું મતદાન), નગરપાલિકા: 59.50%, જિલ્લા પંચાયત: 61.69%, તાલુકા પંચાયત: 62.38% (ગ્રામીણ વિસ્તારોમાં ભારે ઉત્સાહ)

વિધાનસભા 2027 માટે લિટમસ ટેસ્ટ

સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીને જનતાનો મૂડ પારખવા માટેનો લિટમસ ટેસ્ટ માનવામાં આવે છે. ભાજપ માટે આ પરિણામો આત્મવિશ્વાસ વધારનારા છે, જ્યારે વિપક્ષી છાવણીમાં નવી રણનીતિ ઘડવાની જરૂરિયાત જણાઈ રહી છે. સાંજ સુધીમાં તમામ બેઠકોના ચિત્ર સ્પષ્ટ થઈ જશે, પરંતુ અત્યાર સુધીના વલણોમાં કેસરીયો લહેરાતો જોવા મળી રહ્યો છે.