VIDEO: 'સરકારને કહું છું કે આરોપીને જાહેરમાં લટકાવો', નરબલિ મુદ્દે કબરાઉ મોગલધામ ઋષિબાપુ ભડક્યા
કબરાઉ મોગલધામ મહંત ઋષિબાપુએ છોટાઉદેપુરમાં 5 વર્ષની બાળકીના બલિ મુદ્દે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, લોકોએ અંધશ્રદ્ધામાંથી બહાર આવવાની જરૂર છે. 18 વર્ણ અંધશ્રદ્ધાની ઉંઘમાંથી બહાર આવે.હવે તો જાગો. ક્યાંક તમારા ઘરે પણ આવી ઘટના બની તો...આરોપીને જાહેરમાં લટકાવો અને ગોળી મારી દો. પાંચ વર્ષની દીકરીની છોટાઉદેપુરમાં બલી ચડાવાઈ એ યોગ્ય નથી. જેણે દીકરી ગુમાવી તેને જ ખબર પડે. સરકારને આદેશ કરું છું કે જાહેરમાં આરોપીને લટકાવી દો.

