VIDEO: માંડવીના સલાયામાં ખલાસીઓ સાથે વહાણ તણાયું, રેસ્ક્યું કાર્ય શરૂ કરાયું
રાજ્યના માંડવી સલાયાના દરિયાઈ નાકામાં લાંગરવામાં આવેલું જહાજ પૂરના કારણે તણાયું હતું. ઉપરવાસમાં વરસાદને કારમે નદીમાં ઘોડાપુર આવ્યું હતું. ઘોડાપુરના કારણે વહાણ બારામાંથી નીકળીને દરિયામાં વહી ગયું હતું. વહાણ તણાઈ જતા તેમાં સવાર ખલાસીઓ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, ઘટનાની જાણ કોસ્ટગાર્ડને પણ કરવામાં આવી હતી.

