VIDEO : અંજારમાં ખેડૂતને ધક્કા ખવડાવતા PGVCL અધિકારી પર કોંગ્રેસ નેતા લાલઘૂમ
સોર્સ : gstv
અંજારમાં PGVCL અધિકારીની બેદરકારી સામે કોંગ્રેસ નેતાએ આકરા તેવર બતાવ્યા છે. છેલ્લા બે વર્ષથી એક ખેડૂત પોતાના કામ માટે કચેરીના ધક્કા ખાઈ રહ્યો હોવા છતાં અધિકારી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નહોતી. આ બાબતે રોષે ભરાયેલા કોંગ્રેસના આગેવાને કચેરીમાં પહોંચી અધિકારીનો ઉધડો લીધો હતો અને વળતો પ્રહાર કરતા કહ્યું કે, "જો પગારથી પેટ ન ભરાતું હોય તો 5-10 હજાર અમે આપીશું, પણ ખેડૂતનું કામ કરો." અંતમાં નેતાએ ચીમકી ઉચ્ચારી છે કે જો ખેડૂતનું કામ તાત્કાલિક નહીં થાય, તો કોંગ્રેસ દ્વારા PGVCL કચેરીને તાળાબંધી કરવામાં આવશે.

