VIDEO: મહીસાગર નદીમાં છોડાયેલા પાણીને લીધે ગળતેશ્વર બ્રિજ બંધ કરાયો, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
સોર્સ : GSTV
VIDEO: ઉપરવાસમાં ભારે વરસાદી પાણીની આવકને લીધે વણાંકબોરી ડેમમાંથી પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું છે. જેના લીધે મહીસાગર નદીના પાણી ગળતેશ્વર બ્રિજ પર ફરી વળ્યાં છે. જેથી વહીવટી તંત્રએ ગળતેશ્વર મહાદેવ મંદિર નજીક સાવલીને જોડચો મુખ્ય બ્રિજ બંધ કરી દીધો છે.
આ ઉપરાંત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. મહીસાગર નદીના ધસમસતા પાણી કાંઠાના ગામોમાંથી વહીને આણંદ તરફ જઈ રહ્યા છે.

