કેશોદ એરપોર્ટ પર ફલાઇટમાં ટેક્નિકલ ખામી સર્જાતા મુસાફરો રઝળી પડયાં

જૂનાગઢ જિલ્લાના કેશોદ એરપોર્ટ પર મુંબઈ જવા નીકળેલા 30 મુસાફરોને આજે કડવો અનુભવ થયો હતો. મુસાફરોએ ટિકિટ બુકિંગ કર્યા પછી એલાયન્સ એર દ્વારા બે વાર સમયમાં ફેરફાર કર્યા હતા. જેથી સાંજે ચાર વાગ્યે ઉડનારી ફલાઈટમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. જે ચાર કલાક વીત્યા છતાં કોઈ જવાબ ન મળતા આખરે મુસાફરો રોષે ભરાયા હતા.
કેશોદ એરપોર્ટ પર ફલાઈટ આખરે રિપેર ન થતા મુસાફરો અકળાયા હતા. આટલું ઓછું હોય તેમ યુએસના પ્રવાસીઓએ કેશોદ એરપોર્ટ પર કોઈ સુવિધા ન હોવાનું કહીં કેશોદ એરપોર્ટ પર બોર્ડિંગ ન કરાવવા અપીલ કરી હતી. અંતે મુસાફરોએ સિવિલ ઓથોરિટી સુધી ફરિયાદનું જણાવ્યું હતું. એલાયન્સ એર ફલાઈટમાં વારંવાર ટેક્નિકલ ખામી સર્જાતા રદ્દ કરાતી હોવાનું સામે આવ્યું હતું. ઉપરાંત 30 જેટલા મુસાફરો રઝળી પડતા કેશોદ એરપોર્ટ ઓથોરિટીએ એલાયન્સ એરને મુસાફરો માટે અન્ય વ્યવસ્થા કરવાં જણાવ્યું હતું.

