Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : Kumbh Mela's impact on the Bhavnath fair, the number of devotees including sadhus at the fair has decreased

કુંભમેળાની સીધી અસર ભવનાથનાં મેળા પર, મેળામાં સાધુઓ સાથે ભાવિકોની સંખ્યામાં ઘટાડો

Timeછેલ્લું અપડેટ : 25 Feb 2025
લાઇવ ટીવીGoogle News
કુંભમેળાની સીધી અસર ભવનાથનાં મેળા પર, મેળામાં સાધુઓ સાથે ભાવિકોની સંખ્યામાં ઘટાડો

જૂનાગઢના પ્રાચીન ભવનાથ ક્ષેત્રમાં દર વર્ષે યોજાતા પ્રસિદ્ધ મહાશિવરાત્રિના મેળાનો થોડા દિવસ અગાઉ જ પ્રારંભ થઈ ગયો છે. તેવામાં પ્રયાગરાજમાં ચાલતા કુંભમેળાની સીધી અસર આ જૂનાગઢના મેળામાં જોવા મળી છે. 

App Store

ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રીનો મેળો ચાલી રહ્યો છે જ્યાં સામાન્ય રીતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મેળામાં ભાગ લેવા માટે આવતા હોય છે. પરંતુ દર વર્ષ કરતાં આ વર્ષે શિવરાત્રિના મેળામાં જોઈએ તેવો માહોલ જામ્યો નથી. પ્રયાગરાજમાં કુંભ મેળો ચાલતો હોવાથી જૂનાગઢના મેળામાં સાધુઓ અને ભાવિકોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 

દર વર્ષે મેળાના પ્રારંભિક દિવસો અગાઉ જ રસ્તાઓ ઉપર ચાલવાની જગ્યા નથી રહેતી. ભવનાથનાં તમામ રસ્તાઓ ઉપર ભયંકર ટ્રાફિક સર્જાય છે. પરંતુ આ વખતે માત્ર ભવનાથનાં દત્ત ચોકમાં જ સામાન્ય ટ્રાફિક સાથે અન્ય રસ્તાઓ ઉપર યાત્રિકોની જૂજ સંખ્યાઓ જોવા મળી છે.

ભવનાથમાં આ વર્ષે મહાશિવરાત્રીના મેળાનું 22 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી સુધીનું આયોજન કરવામાં આવ્યું છે. મેળા દરમિયાન મંદિર સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લું રાખવામાં આવે છે. જ્યાં તમે ભવનાથ મંદિરમાં દર્શન કરી શકો છો. જેમાં અત્યાર સુધી 3 લાખ જેટલા લોકો ઉમટ્યા છે.

મહાશિવરાત્રીના મેળામાં સહભાગી થતા ભાવિકોને વધુ સારી સગવડો ઉપલબ્ધ કરાવવા તેમજ વિવિધ વ્યવસ્થાઓમાં ભવિષ્યમાં જરૂરી બદલાવ લાવવા જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા આર્થિક-સામાજિક બાબતો પર પ્રથમ વાર લોકોના 'મન કી બાત' જાણવા રિસર્ચની પહેલ હાથ ધરવામાં આવી છે.