VIDEO:જુનાગઢના માંગરોળમાં માછલીના ગોડાઉનમાં ભીષણ આગ, લાખોનું નુકસાન
સોર્સ : GSTV
જુનાગઢના માંગરોળ બંદર વિસ્તારમાં આવેલ એક માછલીના ગોડાઉનમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.. આગ એટલી વિકરાળ હતી કે ગોડાઉનમાં રાખેલા ફાઈબરના લાફા અને માછલીના બેસણાં સહિતનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો. પ્રાથમિક અંદાજ મુજબ, આ ઘટનામાં લાખોનું નુકશાન થયુ છે ..ઘટનાની જાણ થતાં જ ફાયર ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ગોડાઉન માલિકના જણાવ્યા અનુસાર, PGVCLની વીજ લાઈનમાં થયેલા શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હતી... સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી...

