VIDEO: ધોરાજી-જૂનાગઢ ઓવરબ્રિજની ધીમી કામગીરીથી ખેડૂતો અને ઉદ્યોગકારો પરેશાન
સોર્સ : gstv
રાજકોટ જિલ્લાના ધોરાજીથી જૂનાગઢ માર્ગ પર બની રહેલા રેલવે ઓવરબ્રિજનું કામ છેલ્લા બે વર્ષથી કાચબા ગતિએ ચાલતું હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ છે. બ્રિજની કામગીરીને લીધે યોગ્ય ડાયવર્ઝન આપ્યા વિના જ ભારે વાહનો માટે મુખ્ય રસ્તો બંધ કરી દેવાતા ખેડૂતોને પાક બજાર સુધી પહોંચાડવામાં અને ઉદ્યોગકારોને માલની હેરફેરમાં મોટી આર્થિક હાલાકી ભોગવવી પડી રહી છે. ભાજપના પૂર્વ મહામંત્રી જયસુખ ઠેસિયાએ પણ કોન્ટ્રાક્ટરની મનમાની સામે સવાલો ઉઠાવી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે અને આ મામલે તપાસની માંગ કરી છે. સુવિધાના નામે શરૂ થયેલું આ આયોજન હાલ જનતા માટે મુશ્કેલીનું કારણ બન્યું છે.

