VIDEO: જામનગરના મહેમાન બનેલા પીએમ મોદી હવે થોડી જ વારમાં સોમનાથ જશે
સોર્સ : gstv
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. જામનગરના મહેમાન બનેલા પીએમ મોદી હવે થોડી જ વારમાં સોમનાથ ખાતેના નિર્ધારિત કાર્યક્રમોમાં હાજરી આપશે.. તેઓ જામનગરથી રવાના થઈ ગયા છે.. વડાપ્રધાને ગત રાત્રિએ જામનગર સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું. આજે સવારે તેઓ સર્કિટ હાઉસથી નીકળી સીધા એરફોર્સ સ્ટેશન પહોંચશે અને ત્યાંથી હવાઈ માર્ગે સોમનાથ જવા રવાના થયા છે..

