VIDEO: જામનગરમાં વૃદ્ધ દંપતિના મકાન ડિમોલિશન મામલે આહીર સમાજ મેદાને આવ્યો, પોલીસ પર કર્યા ગંભીર આક્ષેપ
સોર્સ : gstv
જામનગરના જડેશ્વર પાર્ક વિસ્તારમાં વૃદ્ધ દંપતિના મકાન ડિમોલિશન મામલે હવે આહીર સમાજ મેદાને આવ્યો છે. આ મુદ્દે સમાજના આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી છે.
પોલીસ દ્વારા વૃદ્ધ દંપતિ સાથે અમાનવીય વર્તન કરવામાં આવ્યું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે જ કોઈ નડતર ન હોવા છતાં બિલ્ડરોના ઈશારે મકાન તોડી પાડવામાં આવ્યું હોવાના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. ઘટનાને લઈને સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે સમગ્ર મામલે તંત્ર શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.

