ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડામાં આવેલા દ્રોણેશ્વર મહાદેવ મંદિર નજીક વહેલી સવારે ગીરના રાજા સિંહે લટાર મારી હતી. ગીરનો કેસરી જંગલદર્શને નીકળ્યો હોય એમ પગલાં માંડી રહ્યો હતો. તેની પાછળ એક માલધારી દૂધ લઈને નીકળતા જાને સિંહ તેનું પાયલોટિંગ કરી રહ્યો હોય એવું દૃશ્ય સર્જાયું હતું.