VIDEO: ગીર સોમનાથ જિલ્લામાં મેઘ કહેરથી ખેડૂતો ત્રાહિમામ, મગફળીનો તૈયાર થયેલો પાક વહી ગયો
ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા ૪૮ કલાકથી સતત વરસતા કમોસમી વરસાદે ખેતીને મોટું નુકસાન પહોંચાડ્યું છે. સુત્રાપાડા તાલુકાના નારિયા વાવ ગામે ખેડૂત કરસનભાઈ પંપાણીયાના ખેતરમાં લણાયેલ ચાર ખાંડી એટલે કે આશરે 1600 કિલો મગફળીનો પાક પાણીમાં બળી જતાં આખો મહેનતનો પાક બરબાદ થયો છે.
ખેડૂત કરસનભાઈએ જણાવ્યું કે, “વરસાદ અગાઉ મગફળી ઉપાડી પાથરા ખેતરમાં સુકાવવા મૂક્યા હતા પરંતુ મોડી રાત્રે અચાનક પડેલા વરસાદથી આખો પાક પાણીમાં તણાઈ ગયો. મગફળીના ડોડવા પાણી સાથે વહી ગયા.
જણાવી દઈએ કે, ગત બે દિવસથી ગીર સોમનાથ જિલ્લામાં ઉના, ગીર ગઢડા, સુત્રાપાડા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે મગફળીના પાથરા પાણીમાં ગરકાવ થયા છે. અનેક ગામડાઓમાં ખેડૂતોએ મગફળી અને સોયાબીન જેવા પાકમાં મોટું નુકસાન થવાની દહેશત વ્યક્ત કરી છે. ખેડૂતોએ સરકાર અને કૃષિ વિભાગને તાત્કાલિક સર્વે કરીને યોગ્ય વળતર અને સહાય આપવાની માંગ કરી છે.
ચાર ખાંડી મગફળી ઉપાડીને ખેતરમાં પાથરા કર્યા હતા પરંતુ અચાનક વરસાદથી આખો પાક બરબાદ થઈ ગયો. ખેડૂતોની મહેનત એળે ગઈ.

