Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગીર સોમનાથ : epicenter of the earthquake was recorded 14 km away from Talala

Earthquake news : ગીર સોમનાથની ધરા ધ્રુજી, ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 14 કિમી દૂર નોંધાયું

Timeછેલ્લું અપડેટ : 20 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Earthquake news : ગીર સોમનાથની ધરા ધ્રુજી, ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 14 કિમી દૂર નોંધાયું
સોર્સ : GSTV

ગીર સોમનાથમાં ભૂકંપનાં આંચકો અનુભવાતા લોકોમાં ગભરાટનો જોવા મળી રહ્યો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી અંદાજે 14 કિલોમીટર દૂર નોંધાયું હતું. સદ્નસીબે કોઈ જાનહાનિ ન થઈ થતાં તંત્ર સહિત સૌ કોઈએ રાહત અનુભવી છે. 

App Store

 બપોરે 2:53 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો 

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા વિસ્તારની ધરા ધ્રુજી ઉઠી છે. અચાનક ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. બપોરે 2:53 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ભૂકંપની રેક્ટર સ્કેલ પર 3.0 તીવ્રતા નોંધાઈ છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી અંદાજે 14 કિલોમીટર દૂર નોંધાયું હતું. સદ્નસીબે ભૂકંપ બાદ જાનહાનિ સમાચાર ન મળતા સૌ કોઈએ રાહત અનુભવી છે.