Earthquake news : ગીર સોમનાથની ધરા ધ્રુજી, ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 14 કિમી દૂર નોંધાયું

સોર્સ : GSTV
ગીર સોમનાથમાં ભૂકંપનાં આંચકો અનુભવાતા લોકોમાં ગભરાટનો જોવા મળી રહ્યો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી અંદાજે 14 કિલોમીટર દૂર નોંધાયું હતું. સદ્નસીબે કોઈ જાનહાનિ ન થઈ થતાં તંત્ર સહિત સૌ કોઈએ રાહત અનુભવી છે.
બપોરે 2:53 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા વિસ્તારની ધરા ધ્રુજી ઉઠી છે. અચાનક ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. બપોરે 2:53 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ભૂકંપની રેક્ટર સ્કેલ પર 3.0 તીવ્રતા નોંધાઈ છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી અંદાજે 14 કિલોમીટર દૂર નોંધાયું હતું. સદ્નસીબે ભૂકંપ બાદ જાનહાનિ સમાચાર ન મળતા સૌ કોઈએ રાહત અનુભવી છે.

