Gir somnath માં ફરી અનુભવાયો ભૂકંપનો આંચકો, કેન્દ્રબિંદુ તાલાલાથી 14 કિમી દૂર નોંધાયું

સોર્સ : GSTV
ગીર સોમનાથની ધરા ફરી ધ્રુજી ઉઠી છે. બપોરે આવેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 14 કિમી દૂર નોંધાયું છે અને રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.3 ની હતી.
ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ગભરાટ
ગીર સોમનાથના તાલાલા પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. બપોરે 1:05 વાગ્યે ગીર સોમનાથની ધરા ધ્રુજી ઉઠી હતી. ભૂકંપની રિક્ટર સ્કેલ પર 3.3 તીવ્રતા નોંધાઈ છે અને કેન્દ્રબિંદુ તાલાલાથી 14 કિમી દૂર નોંધાયું છે. સદ્નસીબે ભૂકંપથી કોઈ જાનહાનિ કે નુકસાન થયું નથી.

