સચિવાલયના 80થી વધુ અધિકારીઓની બદલી અને બઢતી, ગુજરાતના વહીવટી માળખામાં મોટો ફેરફાર

સોર્સ : gstv
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા સચિવાલયના વહીવટી માળખામાં મોટો ફેરફાર કરીને 80થી વધુ અધિકારીઓની બદલી અને બઢતીના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. મુખ્યત્વે સેક્શન ઓફિસર અને વર્ગ-2 કક્ષાના અધિકારીઓને ઉપ સચિવ વર્ગ 1 લેવલ 10 તરીકે પ્રમોશન આપીને ગૃહ, મહેસૂલ, આરોગ્ય, માર્ગ અને મકાન તેમજ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી જેવા મહત્વના વિભાગોમાં નવી નિમણૂકો આપવામાં આવી છે, જ્યારે કેટલાક અધિકારીઓને ચાલુ જવાબદારી ઉપરાંત વધારાનો કાર્યભાર પણ સોંપાયો છે. તો 12 જેટલા ઉપ સચિવ વર્ગ 1ના અધિકારીઓની વિવિધ વિભાગમાં બદલી કરવામાં આવી છે.








