Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : PM Modi's Gujarat visit LIVE: 'Samrat Samprati Museum' to be inaugurated in a few minutes

PM મોદીનો ગુજરાત પ્રવાસ: કોબામાં સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલયનું અને સાણંદમાં અત્યાધુનિક OSAT પ્લાન્ટનું લોકાર્પણ કર્યું

Timeછેલ્લું અપડેટ : 31 Mar 2026
લાઇવ ટીવીGoogle News
PM મોદીનો ગુજરાત પ્રવાસ: કોબામાં સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલયનું અને સાણંદમાં અત્યાધુનિક OSAT પ્લાન્ટનું લોકાર્પણ કર્યું
સોર્સ : GSTV

 વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (31મી માર્ચ)ના રોજ ગુજરાતની એક દિવસીય મુલાકાતે છે. આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી રાજ્યના ઔદ્યોગિક, પરિવહન અને આધ્યાત્મિક વિકાસને વેગ આપતા કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું ઉદ્ધાટન કર્યું હતું. અમદાવાદ એરપોર્ટ પર પીએમ મોદીનું રાજ્યપાલ, મુખ્યમંત્રી,નાયબ મુખ્યમંત્રીએ સ્વાગત કર્યું હતું. અમદાવાદ એરપોર્ટથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી સીધા જ ગાંધીનગરના  કોબા ખાતે જવા રવાના થયા હતા.ગાંધીનગરના કોબામાં સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલયનું નિર્માણ થયું છે. જેનું ઉદ્ઘાટન આજે વડાપ્રધાન મોદીના હસ્તે કરવામાં આવ્યું હતુ. 

મ્યુઝિમ અંદાજે 115 કરોડના ખર્ચે તૈયાર કરાયું

આ મ્યુઝિયમ એટલે ભારતની ઐતિહાસિક વિરાસત અને ભવ્ય સંસ્કૃતિનો અદભુત સમન્વય. જૈન મુનિ પદ્મસાગર સૂરીશ્વરજીની પ્રેરણાથી આ મ્યુઝિયમ તૈયાર થયું છે. જેમાં હસ્તપ્રતો, વિજ્ઞપ્તિ પત્રોનો દુર્લભ સંગ્રહ જોવા મળશે. જૈન મુનિએ 60 વર્ષમાં ભારત અને નેપાળના ખૂણેખૂણે ફરીને લગભગ 2 લાખ કિ.મી.ની પદયાત્રા કરી. આ પદયાત્રા દરમિયાન તેમણે દુર્લભ સાંસ્કૃતિક અવશેષો અને ઐતિહાસિક પુરાવાઓનું સંકલન કર્યું. જેને આ સંગ્રહાલયમાં સુરક્ષિત કરવામાં આવ્યો છે. આ સંગ્રહાલય ભારતની આધ્યાત્મિક ચેતના અને અહિંસાના વિચારોને વિશ્વ સમક્ષ ઉજાગર કરશે. લગભગ 95 હજાર સ્કવેર ફૂટમાં ફેલાયેલું મ્યુઝિમ અંદાજે 115 કરોડના ખર્ચે તૈયાર થયું છે.

મ્યુઝિયમને 7 અલગ-અલગ વિભાગમાં વહેંચીને 7 ગેલેરી તૈયાર કરાઈ

  • પ્રથમ ગેલેરીમાં ભગવાન ઋષભદેવથી લઈ નેમિનાથ સુધીના તીર્થંકરોના ચરિત્રનું આલેખન છે. સાથે અહીં 5 થી 15મી સદી સુધીની પ્રાચીન મૂર્તિઓ મૂકવામાં આવી છે.
  • બીજી ગેલેરીમાં 23મા તીર્થંકર પાર્શ્વનાથ તેમજ ધરણેન્દ્ર-પદ્માવતી દેવીની પ્રતિમાઓ મૂકાઈ છે.
  • મ્યુઝિયમની ત્રીજી ગેલેરી ભગવાન મહાવીર સ્વામીને સમર્પિત કરાઈ છે. જ્યાં 12મી સદીનો જૈન વારસો જીવંત થશે.
  • ચોથી ગેલેરીમાં 13મી થી 17મી સદીનો સુવર્ણકાળ દર્શાવાયો છે.
  • પાંચમી ગેલેરીમાં 18 થી લઈ 20મી સદીની કલા-સમૃદ્ધિનો ભવ્ય વારસો જોવા મળશે.
  • તો છઠ્ઠી ગેલેરીમાં ભારતની પ્રાચીન વૈજ્ઞાનિક અને સાહિત્યિક ક્ષમતાના દર્શન થશે.
  • સાતમી ગેલેરીમાં શેત્રુંજય, ગિરનાર અને રાણકપુર જેવા તીર્થધામોની ડિજિટલ પ્રસ્તુતિ નિહાળી શકાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાણંદમાં કેન્સ સેમિકોન'ના અત્યાધુનિક OSAT પ્લાન્ટનું લોકાર્પણ કર્યુ 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાણંદમાં રૂપિયા 3300 કરોડના ખર્ચે નિર્મિત કેન્સ સેમિકોન'ના અત્યાધુનિક OSAT પ્લાન્ટનું લોકાર્પણ કર્યુ હતું. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવની ઉપસ્થિતિમાં ખુલ્લો મુકાયેલ આ પ્લાન્ટ ભારતના સેમિકન્ડક્ટર મિશનને નવી ગતિ આપશે, જ્યાં દરરોજ અંદાજે 60 લાખ ચિપનું ઉત્પાદન કરવામાં આવશે. આ પ્રોજેક્ટથી સાણંદ વૈશ્વિક નકશા પર સેમિકન્ડક્ટર હબ તરીકે ઉભરી આવશે, જે ભારતને ટેકનોલોજી ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા અને મોટા પાયે રોજગારીની તકો ઉભી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

31 Mar 2026

આજે સવારે, હું એક આધ્યાત્મિક કાર્યક્રમમાં હતો, અને અત્યારે, હું એક ડિજિટલ કાર્યક્રમમાં છું- PM મોદી

31 Mar 2026

ગુજરાતમાં કુલ ચાર સેમિકન્ડક્ટર પ્લાન્ટને મંજૂરી આપવામાં આવી

31 Mar 2026

સાણંદ સેમિકન્ડક્ટર હબ તરીકે ઝડપથી વિકસી રહ્યું છે- PM મોદી

31 Mar 2026

PM મોદીએ સાણંદમાં કેઇન્સના સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું

31 Mar 2026

જય જિનેન્દ્રના જયઘોષ સાથે પીએમ મોદીનું સંબોધન

31 Mar 2026

ભારતીય ઇતિહાસ અને આધ્યાત્મિક વારસાની અદભૂત ઝાંખી કરાવતું કેન્દ્ર

31 Mar 2026

કોણ હતા સમ્રાટ સંપ્રતિ?

31 Mar 2026

PM મોદીએ ગાંધીનગરના કોબામાં 'સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ'નું લોકાર્પણ કર્યું

31 Mar 2026

અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેનું લોકાર્પણ

31 Mar 2026

કોબા ખાતે 'સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ'નું લોકાર્પણ