Gujarat એસ.ટી. નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો, જાણો હવે કેટલા ટકા મળશે DA

સોર્સ : AI
ગુજરાત એસ.ટી. નિગમના કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. જેમાં GSRTCના કર્મચારીઓને મળતા મોંઘવારી ભથ્થા (DA)માં 3 ટકાનો વધારો મંજૂર કરવામાં આવ્યો છે. STના કર્મચારીઓને અત્યાર સુધી 55 ટકા પ્રમાણે મોંઘવારી ભથ્થું મળતું હતું. જો કે, હવે તેમાં વધારો થતાં કર્મચારીઓને 58 ટકા DA મળશે.
એસ.ટી.નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
ST નિગમના અધિકારી-કર્મચારીઓ માટે 3 ટકાનો મોંઘવારી ભથ્થાનો વધારો જુલાઈ-2026થી (પેઇડ ઈન ઓગસ્ટ-2026) મંજૂર કરાયો છે. નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરાયો છે, ત્યારે STના કર્મચારીઓને રૂ.24 કરોડથી વધુનો સીધો ફાયદો થશે.



