CM ભૂપેન્દ્ર પટેલ-જગદીશ પંચાલ દિલ્હી દોડ્યા, ટુંક સમયમાં મંત્રી મંડળનું વિસ્તરણ!

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ મંત્રી મંડળમાં જલદી ફેરબદલ થવાની સંભાવના છે. ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રી મંડળમાં નવા ચહેરાને તક મળી શકે છે જ્યારે કેટલાક જૂના ચહેરાઓને મંત્રી મંડળમાંથી હટાવવામાં આવશે. કેન્દ્રીય નેતૃત્ત્વ સાથે ચર્ચા કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલ અને સંગઠન મહાસચિવ દિલ્હી પહોંચ્યા છે.
મંત્રી મંડળમાં નવા ચહેરાને મળી શકે છે તક
મહત્ત્વપૂર્ણ છે કે ગુજરાતમાં વધુમાં વધુ 27 મંત્રી બનાવવામાં આવી શકે છે. અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કૂલ 17 નેતા મંત્રી મંડળમાં સામેલ છે. આ હિસાબથી 10 લોકોને મંત્રી બનાવવામાં આવી શકે છે. માનવામાં આવે છે કે બીજા પક્ષમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓને પણ મંત્રી મંડળમાં સ્થાન મળી શકે છે. કેટલાક જૂનિયર મંત્રીઓને પણ પ્રમોટ કરવામાં આવી શકે છે.
જાતીય,ક્ષેત્રીય સંતુલનને સાધવામાં આવશે
મહાનગરપાલિકાની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતા મોટા પરિવર્તન કરવામાં આવશે. રાજ્યમાં 2027માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. મંત્રી મંડળમાં ફેરબદલમાં જાતીય અને ક્ષેત્રીય સંતુલનને સાધવામાં આવશે. 2022માં પ્રચંડ બહુમત મળ્યા બાદ રાજ્યમાં મંત્રી મંડળમાં ફેરબદલ થયો નથી.તાજેતરમાં ભાજપે ગુજરાતમાં જગદીશ પંચાલને નવા પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે. ખાસ વાત આ છે કે તે ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રી પણ છે. એવામાં એક વ્યક્તિ એક પદના સિદ્ધાંત હેઠળ તેમણે મંત્રી પદેથી રાજીનામું આપવું પડશે.
ક્યા ધારાસભ્ય બની શકે છે મંત્રી?
ગુજરાત સરકારમાં હાલ મુખ્ય મંત્રી સિવાય 8 કેબિનેટ મંત્રીઓ છે અને 8 રાજ્ય કક્ષાના મંત્રીઓ છે. મંત્રી મંડળ વિસ્તરણમાં હાલના મંત્રીમંડળમાં બેઠેલા 4 પૂર્વ કોંગ્રેસી મંત્રીઓમાંથી 2નું પત્તુ કાપીને ડૉ. સી જે ચાવડા અને અર્જુન મોઢવાડિયાનો મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવશે.

