Dahod news: દાહોદની આશ્રમ શાળામાં વિદ્યાર્થીનો આપઘાત, મૃતકના પરિજનોએ શિક્ષક પર લગાવ્યો આ આરોપ

સોર્સ : GSTV
દાહોદની એક આશ્રમ શાળામાં ધોરણ 10 ના વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર મચી છે. વિદ્યાર્થીના મૃતદેહને સારવાર અર્થે પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયો છે. પોલીસ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
શિક્ષકની હેરાનગતિથી વિદ્યાર્થીએ આપઘાત કર્યો: મૃતકના પરિજનો
દાહોદના સરસવાણી ગામે શ્રીરામજનકી ઉતર બુનિયાદી આશ્રમ શાળામાં અગમ્ય કારણોસર ધોરણ 10 ના વિધાર્થીએ આપઘાત કરી લીધો છે. ઝાલોદના વેલપુરાગામનો વિધાર્થી આશ્રમશાળામાં રહી અભ્યાસ કરતો હતો. વિદ્યાર્થીએ આશ્રમશાળાના રૂમમાં પંખા પર ટુવાલ વડે ગળામાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. શિક્ષકની હેરાનગતિથી વિદ્યાર્થીએ આપઘાત કર્યો હોવાનો મૃતકના પરિજનોએ આક્ષેપ કર્યો છે. પોલીસે વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

