VIDEO: ચોમાસામાં કાંધા ગામ પાસે પુલ તોડી કામગીરી શરૂ કરાતા ૩૦થી વધુ ગામોના લોકો પરેશાન
સોર્સ : gstv
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં સ્ટેટ આર એન્ડ બી વિભાગની બેદરકારી સામે આવી છે. પાલસર ચોકડીથી કાંધા ગામ માર્ગ પર ચોમાસાની ચાલુ સિઝનમાં જ જૂનો પુલ તોડીને નવી કામગીરી શરૂ કરાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. યોગ્ય ડાયવર્ઝનના અભાવે તેમજ કોતરમાં પાણી વહેતું હોવાથી કાંધા સહિત આસપાસના ૩૦થી વધુ ગામોના વાહનચાલકો અને ખેડૂતોને પોતાના ખેતરો સુધી પહોંચવામાં ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. છોટાઉદેપુરથી ૬૦ કિલોમીટર દૂર આવેલા આ વિસ્તારમાં અધિકારીઓની ગેરહાજરીના કારણે આવી સ્થિતિ સર્જાઈ હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. ગ્રામજનોએ તાત્કાલિક યોગ્ય ડાયવર્ઝન બનાવી સમસ્યાનો ઉકેલ લાવવા માગ કરી છે.

