Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Filtered water was wasted due to leakage near Ganiyabari in Naswadi

VIDEO : પાણી પુરવઠા વિભાગની ઘોર બેદરકારી, નસવાડીની ગનીયાબારી પાસે લીકેજથી ફિલ્ટર થયેલું પાણી વેડફાયું

Timeછેલ્લું અપડેટ : 14 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

નસવાડી તાલુકાની કુપ્પા પાણીપુરવઠા યોજના હેઠળ ગનીયાબારી ગામ પાસે પાઇપલાઇનમાં લીકેજ સર્જાતા મોટા પ્રમાણમાં પાણીનો વેડફાટ થયો છે. લીકેજને કારણે પાણીના ફુવારા ઊડતા જોવા મળ્યા હતા. આ યોજના દ્વારા આદિવાસી વિસ્તારના 72 ગામોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે, પરંતુ ભર ઉનાળે પણ લોકોને પૂરતું પાણી મળતું નથી. બીજી તરફ કોતરોમાં લાખો લીટર ફિલ્ટર થયેલું પાણી વેડફાઈ રહ્યું છે, જેના કારણે પાણી પુરવઠા વિભાગની બેદરકારી સામે આવી છે. દર વર્ષે પાઇપલાઇન રિપેરિંગ અને વિતરણ માટે સરકાર દ્વારા કોન્ટ્રાક્ટરને કરોડો રૂપિયાની ફાળવણી થાય છે, છતાં યોગ્ય જાળવણી ન થતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

App Store