સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શિક્ષકોની કામગીરી તપાસી ઓપરેશન ગંગાજળ હેઠળ કરો દૂર, કોંગ્રેસ નેતાનો સણસણતો પત્ર

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એજ્યુકેશન ફેકલ્ટીના ડિન અને પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ડો.નિદત બારોટએ કુલપતિને સણસણતો પત્ર લખ્યો છે.
ગંગાજળ અભિયાન ચલાવવાની વાત કરી
ડો.નિદત બારોટએ કુલપતિના પત્રમાં ગંગાજળ અભિયાન ચલાવવાની વાત કરી છે.જેમા તેમણે કહ્યુ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કામ ન કરતા કર્મચારીઓ અને અધિકારીઓ સામે ગંગાજળ અભિયાન ચલાવવામાં આવે.
આ પણ વાંચો: જુનાગઢ: માંગરોળમાં ખાતરની બોરીમાં પથ્થર જેવા ગાંગડા દેખાતા મચ્યો હોબાળો
અધ્યાપકોને છુટા કરવામાં આવે
વિદ્યાર્થીઓના હિતમાં સંશોધન કે કોઈપણ કામગીરી ન કરનાર અધ્યાપકો કે કર્મચારીઓને છૂટા કરવામાં આવે, તેમજ છેલ્લા 50 વર્ષથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના હિતમાં કામગીરી ન કરનાર અધ્યાપકોને છુટા કરવામાં આવે.
ગંગાજળ શબ્દના ઉપયોગથી શિક્ષણ જગતમાં ખળભળાટ જોવા મળ્યો
પત્રમાં ગંગાજળ શબ્દના ઉપયોગથી શિક્ષણ જગતમાં ખળભળાટ જોવા મળ્યો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શિક્ષકોની કામગીરી તપાસી ઓપરેશન ગંગાજળ હેઠળ તેમને દૂર કરવા જોઈએ તેવી માંગ કરવામાં આવી છે. યુનિવર્સિટીમાં કામગીરી ન થાય તે ભવન સામે લાલ આંખ કરવી જરૂરી છે.

