Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : Fire breaks out in scrap warehouse in Ankleshwar, no casualties

VIDEO : અંકલેશ્વરમાં ભંગારના ગોડાઉનમાં આગ કોઈ જાનહાનિ નહિ

Timeછેલ્લું અપડેટ : 21 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : Gstv

અંકલેશ્વરના બાકરોલ ઓવરબ્રિજ નજીક ભંગારના ગોડાઉનમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. અંકલેશ્નરના બાકરોલ હાઇવે ઓવરબ્રિજ પાસે આવેલા પ્લાસ્ટિક અને કેમિકલ વેસ્ટનો જથ્થો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ સ્થિતિના કારણે ભારે નાસભાગ મચી જવા પામી હતી. આગ ગોડાઉનની બાજુમાં આવેલા શ્રમજીવી પરિવારોના ઝૂંપડામાં ફેલાતા અનેક ઘરવખરીનો સામાન બળીને ખાક થઈ ગયો. ફાયર વિભાગની ટીમે ભારે મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સદ્ભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી. પોલીસે આગના કારણની તપાસ શરૂ કરી છે.

App Store
ટોપિક્સ:gstvgstv newsankleshwarfire