ગુજરાતમાં હાઈએલર્ટ જાહેર કરાયા બાદ અંબાજી મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો
સોર્સ : GSTV
દિલ્હીમાં બ્લાસ્ટની ધટના બાદ ઉત્તર ગુજરાતના સૌથી મોટા અને પ્રખ્યાત શક્તિપીઠ અંબાજી મંદિરની સુરક્ષા વ્યવસ્થામાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે. દિલ્હી બ્લાસ્ટ બાદ અંબાજી મંદિરની સુરક્ષાને વધુ મજબૂત બનાવવામાં આવી છે. 24 કલાક LMG (લાઇટ મશીન ગન) ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે. મંદિરના પ્રવેશદ્વાર, શક્તિ દ્વાર ખાતે મેટલ ડિટેક્ટરની મદદથી ભક્તોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

