Banaskantha news: CM ભૂપેન્દ્ર પટેલે વરસાદથી અસરગ્રસ્ત સુઈગામની મુલાકાત લઈ રાહત કામગીરી અંગે સમીક્ષા કરી

સોર્સ : GSTV
Banaskantha news: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના અને તાજેતરના વરસાદથી અસરગ્રસ્ત બનેલા એવા સુઈગામની મુલાકાતે ગયા હતા. જયાં તેઓ સી.એચ.સી.ના આશ્રયસ્થાનમાં આશ્રય લઈ રહેલા ગ્રામજનોને પણ મળ્યા હતા અને આશ્રય સ્થાનની જરૂરી સુવિધાઓ અંગે વિગતો મેળવી હતી.
ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત તેમજ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ કે દાસ અને જિલ્લા વહીવટી તંત્ર ના અધિકારીઓ પણ મુખ્યમંત્રી સાથે આ અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારની મુલાકાતમાં સાથે જોડાયા હતા.

