Ambaji news: અંબાજી મંદિરે પરંપરાગત રીતે દૂધ પૌવાના પ્રસાદનું વિશેષ આયોજન કરાયું

સોર્સ : GSTV
શરદ પૂર્ણિમાની પાવન રાત્રિએ અંબાજી મંદિરે પરંપરાગત રીતે દૂધ પૌવાના પ્રસાદનું વિશેષ આયોજન કરવામાં આવ્યું. રિવાજ મુજબ દૂધ પૌવાને એક વાસણમાં ઢાંકીને ખુલ્લા આકાશ નીચે મૂકવામાં આવ્યું અને મધરાતે 12 વાગે તે પ્રસાદ માતાજીને ધરાવવામાં આવ્યો...આ ખાસ પ્રસંગે મંદિરમાં વિશેષ આરતી યોજાઈ અને ત્યારબાદ ભક્તોને દૂધ પૌવાને પ્રસાદ રૂપે વિતરણ કરવામાં આવ્યો. મંદિર પરિસરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી, જ્યાં લોકોએ લાંબી લાઈનોમાં ઉભા રહીને શ્રદ્ધાભાવે પ્રસાદ મેળવ્યો.

