VIDEO: અરવલ્લીઃ મોડાસામાં જર્જરિત પાણીની ટાંકી તોડી પાડવામાં આવી
સોર્સ : GSTV
અરવલ્લીના મોડાસામાં વારિગૃહ ખાતે આવેલી એક વર્ષો જૂની અને અત્યંત જોખમી પાણીની ટાંકીને નગરપાલિકા તંત્ર દ્વારા સુરક્ષિત રીતે તોડી પાડવામાં આવી છે. વર્ષ ૧૯૯૨માં નિર્માણ પામેલી આ ૯ લાખ લીટરની ક્ષમતા ધરાવતી ટાંકી લાંબા સમયથી જર્જરિત થઈ ગઈ હોવાથી અકસ્માતનો ભય સેવાઈ રહ્યો હતો, જેને પગલે મોડાસા પાલિકા અને પાણી પુરવઠા વિભાગ દ્વારા આ સંયુક્ત કાર્યવાહી હાથ ધરાઈ હતી. પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર ભદ્રેશભાઈ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ આ જોખમી ટાંકીનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો છે. રાહતની વાત એ છે કે, શહેરીજનોની પાણીની સુવિધા માટે વારિગૃહ ખાતે જ હવે ૧૫ લાખ લીટરની વિશાળ ક્ષમતા ધરાવતી નવીન પાણીની ટાંકી બનાવીને તૈયાર કરી દેવામાં આવી છે.

