Aravalli news: ગોવિંદપુર તળાવમાં મગર દેખાતા ફફડાટ, પશુપાલકો અને ગ્રામજનોમાં ભયનો માહોલ

સોર્સ : GSTV
રાજ્યના અરવલ્લીમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, અરવલ્લીના માલપુરના ગોવિંદપુર તળાવમાં મગર દેખાતા ફફડાટ મચ્યો છે. તળાવમાં ત્રણથી ચાર ફૂટનો મગર હોવાની શક્યતા સેવાઈ રહી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર તળાવમાં છેલ્લા ઘણા સમયથી મગરનો વસવાટ થયો છે.
પશુપાલકો અને ગ્રામજનોમાં ડરનો માહોલ
મગરોની હાજરીને પગલે તળાવ કાંઠે જતા પશુપાલકો અને ગ્રામજનોમાં ડરનો માહોલ છવાયો છે. તો બીજી તરફ આ મામલે ગ્રામજનોએ વન વિભાગને પણ જાણ કરી છે. વન વિભાગને રજૂઆત કરી છે કે વહેલામાં વહેલી તકે મગરનું રેસ્ક્યું કરવામાં આવે.

