Anand news: પતિ-પત્ની વચ્ચેની તકરારે મોટું સ્વરૂપ ધારણ કર્યું, બન્ને પક્ષે 7 લોકો ઈજાગ્રસ્ત
સોર્સ : gstv
ગુજરાતના આણંદમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે આણંદના નાવલી ગામની ઇન્દિરા નગરીમાં પતિ-પત્ની વચ્ચેની તકરારે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે સામાન્ય બોલાચાલી બાદ થયેલી બબાલમાં બંને પક્ષના કુલ 7 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે.દંપતી સામાજિક પ્રસંગ પતાવી ઘરે આવી રહ્યું હતું, ત્યારે તેમની વચ્ચે ચાલતી તકરાર દરમિયાન અન્ય લોકોએ આવી પતિ પર હુમલો કર્યો હતો.
પરિવારજનો વચ્ચે પડતા 4 થી 5 લોકોના જૂથે તેમના પર પણ હુમલો કર્યો
પરિવારજનો વચ્ચે પડતા 4 થી 5 લોકોના જૂથે તેમના પર પણ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત પતિને વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ આણંદ ગ્રામ્ય પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિ થાળે પાડી હતી.

