VIDEO: જાફરાબાદના માછીમારો દરિયામાં ગુમ થઈ જતા પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા
સોર્સ : GSTV
VIDEO: અમરેલી જિલ્લાના જાફરાબાદના માછીમારો ચાર-ચાર દિવસથી દરિયામાં લાપત થતા માછીમારના પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. દરિયામાં બોટ ડૂબી જતા શિયાળ બેટ અને જાફરાબાદના 7 માછીમારો લાપતા થયા છે. જો કે, 4 દિવસ વીતી ગયા છતાં હજુ માછીમારો દરિયામાં લાપતા છે. ગુમ થયેલા 11 માછીમારોની તંત્ર દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.
દરિયામાં ઘણા સમયથી કરન્ટ હોવાથી દરિયામાં લાપતા થયા હતા. જાફરાબાદની તમામ બોટોનો તંત્ર દ્વારા સંપર્ક કરી પરત બોલાવવામાં આવી રહી છે. શિયાળબેટ તેમજ જાફરાબાદના ગુમ થયેલા માછીમારોના પરિવારમાં ચિંતાનો માહોલ થયો છે. તંત્ર માછીમારોની શોધખોળ કરે હેમખેમ પાછા આવે તેવી પરિવાર દ્વારા માગ કરવામાં આવી રહી છે.

