VIDEO/ અમરેલી: રાજુલામાં નદીમાં નાહવા ગયેલા બે માસૂમ બાળકોના ડૂબી જવાથી મોત
સોર્સ : GSTV
રાજુલા તાલુકાના ખાખબાઈ ધાતરવડી વિસ્તારમાં દુખદ ઘટના સામે આવી છે, જ્યાં નદીમાં નાહવા ગયેલા બે બાળકો પાણીમાં ડૂબી જતા મોત નિપજ્યા છે. 42 ડિગ્રી જેટલી કાળઝાળ ગરમી વચ્ચે બંને બાળકો નદીના પ્રવાહમાં નાહવા ઉતર્યા હતા. મૃતકોની ઓળખ ગાંડુ લાલાભાઈ પરમાર અને દક્ષ રાજેશભાઈ ડોડીયા તરીકે થઈ છે. ગામના સરપંચ અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર દોડી આવ્યા હતા. તરવૈયાઓની ટીમ અને સ્થાનિક યુવાનોની મદદથી બંને બાળકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. બંનેના મૃતદેહોને રાજુલા સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા.

