Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : Savarkundla APMC Director ends his life

Amreli News: સાવરકુંડલા APMC ડિરેક્ટર અંકુર રામાણીએ જીવન ટૂંકાવ્યું, સ્યુસાઇડ નોટને આધારે પોલીસ તપાસ શરુ

Timeછેલ્લું અપડેટ : 29 Apr 2025
લાઇવ ટીવીGoogle News
Amreli News: સાવરકુંડલા APMC ડિરેક્ટર અંકુર રામાણીએ જીવન ટૂંકાવ્યું, સ્યુસાઇડ નોટને આધારે પોલીસ તપાસ શરુ

રાજ્યમાં આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે અને સમયાંતરે વિવિધ કારણોસર જીવન ટૂંકાવવાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે સાવરકુંડલામાં એપીએમસીના ડિરેક્ટર અંકુર રામાણીએ આજે  પોતાના ઘરે વહેલી સવારે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. મૃતક અંકુર રામાણીની સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે. હાલ આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

App Store

જાણો શું છે મામલો

મળતી માહિતી અનુસાર, અમરેલી જિલ્લામાં સાવરકુંડલાના પિયાવા ગામે એપીએમસીના 32 વર્ષના ડિરેક્ટર અંકુર રામાણીએ પોતાના ઘરે વહેલી સવારે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. પોલીસની તપાસમાં અંકુર રામાણીએ આપઘાત કરતા પહેલા લખેલી એક સ્યુસાઈડ નોટ મળી આવી છે.

મૃતક અંકુર રામાણીને પત્ની રિસામણે હોવાથી તેનું ટેન્શન હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે. મૃતક અંકુરને ચાર બહેનો અને પોતે એક જ ભાઈ હોવાની માહિતી મળી છે. આ ઘટના બાદ સાવરકુંડલા એપીએમસી દ્વારા આવતીકાલે એપીએમસીનું કામ બંધ રહેશે તેવી જાહેરાત કરાઈ છે.