Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : Farmers in Amreli vented their anger against the government by burning groundnuts

Video: અમરેલી જિલ્લામાં ખેડૂતોએ મગફળી સળગાવી સરકાર સામે ઠાલવ્યો રોષ, ધરતીપુત્રો ટેકાના ભાવની ખરીદીથી નારાજ

Timeછેલ્લું અપડેટ : 06 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

કમોસમી વરસાદથી ખેડૂતોની કમર ભાંગી ગઈ છે. મગફળીનો પાક સંપૂર્ણ નષ્ટ થયો છે. સરકાર દ્વારા ટેકાના ભાવની મગફળીની 125 મણની ખરીદીની જાહેરાતથી અમરેલી જિલ્લાના ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે. સાવરકુંડલાના જાબાળ, શાંતિનગર ગામે ખેડૂતોએ મગફળી સળગાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. 

App Store

 મગફળીના પાથરા સળગાવીને વિરોધ 

શાંતિનગર ગામમાં 10 વીઘાની મગફળીની ખેતી કરતા ખેડૂત મુકેશ ભેસાણીયાએ મગફળીનું વાવેતર કર્યું હતું, પણ માવઠું પડતા પાક નિષ્ફળ ગયો હતો. જ્યારે સરકાર દ્વારા ટેકાના ભાવની મગફળીની 125 મણની ખરીદીની જાહેરાત થતા શાંતિનગરના ખેડૂતે પોતાની 10 વીઘાની જમીનમાં વાવેલી મગફળીના પાથરા સળગાવી નાખ્યા હતા. સરકારની ટેકાના ભાવની જાહેરાત બાદ ખેડૂતોમાં રોષ વધુ જોવા મળ્યો છે અને બચેલી થોડી ઘણી મગફળી પણ સળગાવીને રોષ પ્રગટ કર્યો હતો. જાબાળ ગામના ખેડૂતોએ પણ મગફળીના પાથરા સળગાવીને વિરોધ નોંધાવ્યો છે.