સાવરકુંડલા અને ખાંભા સહિતના વિસ્તારોમાં મેઘરાજાની જમાવટ
સોર્સ : gstv
અમરેલી જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણ બદલાતા લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન થયું છે. સાવરકુંડલાના મેવાસા, શેલણા અને મોટા ભમોદરા સહિતના ગામોમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ સાથે ખાંભા ગીરના અનિડા અને તેની આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. લાંબા સમયથી વરસાદ ખેંચાવાને કારણે જિલ્લાના ખેડૂતોની સ્થિતિ અત્યંત કફોડી બની ગઈ હતી અને તેઓ પાક બચાવવા માટે આકાશ તરફ આશા માંડીને બેઠા હતા. અચાનક થયેલા આ વરસાદથી ધરતીપુત્રોમાં રાહતની લાગણી ફેલાઈ છે અને પાકને નવું જીવન મળવાની આશા બંધાઈ છે

