VIDEO Breaking : Amreli ગીરના જંગલની સુરક્ષાને લઈને વિવાદ, પ્રધાનમંત્રી સુધી પહોંચી ફરિયાદ
સોર્સ : gstv
એશિયાટિક સિંહોના એકમાત્ર કુદરતી રહેઠાણ ગણાતા ગીરના જંગલના નિયમો અને તેની સુરક્ષાને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. ગીરમાં સિંહોના ચિંતાજનક મૃત્યુ, ગેરકાયદેસર રીસોર્ટ, માઇનિંગ પ્રવૃત્તિઓને મંજૂરી તેમજ લોકગાયક રાજભા ગઢવીને મળેલી પરવાનગી સહિતના ગંભીર મુદ્દાઓ અંગે પર્યાવરણ પ્રેમીઓએ ચિંતા વ્યક્ત કરી છે. ગીર જંગલ મુદ્દે પ્રધાનમંત્રી સુધી ફરિયાદ પહોંચી હોવાનું સામે આવ્યુ છે. જંગલના હિતોને થઈ રહેલા નુકસાન અંગે વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર ભૂષણ પંડ્યા, રોહિત વ્યાસ, સી.ટી. રાણા, સુરેશ ભટ્ટ, સંજય કેલેયા અને રેવતુંભા રાયઝાદાએ સીધો પત્ર પાઠવીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી સુધી ઉચ્ચ સ્તરે લેખિત રજૂઆત કરી છે.

