VIDEO: ૨૭મીએ અમિત શાહ લાઠીના દુધાળા ગામે ગુજરાત ગૌરવ સરોવરનું લોકાર્પણ કરશે
સોર્સ : gstv
અમરેલીના લાઠીમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આગામી ૨૭ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ ઉપસ્થિત રહેવાના છે. લાઠીના દુધાળા ગામે હેતની હવેલીમાં પદ્મશ્રી સવજીભાઈ ધોળકીયા દ્વારા નિર્માણ પામેલા ભવ્ય ગુજરાત ગૌરવ સરોવરનું સવારે ૯ કલાકે ગૃહમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. આ મહત્ત્વપૂર્ણ લોકાર્પણ પ્રસંગે ગૃહમંત્રીના આગામી સ્વાગત અને વ્યવસ્થા માટે તંત્ર તેમજ ધોળકીયા ફાઉન્ડેશન દ્વારા હાલ તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

