VIDEO: ગીર ગઢડામાં છેલ્લા 10 દિવસમાં 3 સિંહબાળના મોત, વનવિભાગ દ્વારા વન્ય પ્રાણીઓનું હાથ ધરાયું મોનીટરીંગ
સોર્સ : gstv,ai
અમરેલી અને ગીર પશ્ચિમ જંગલ બોર્ડર વિસ્તારમાં બેબસીયા એટલે કે ન્યૂમોનિયા જેવા રોગથી 5 સિંહોના મોત થયા છે. જ્યારે ધારી ગીર પૂર્વના ગીર ગઢડા બોર્ડર વિસ્તારમાં છેલ્લા 10 દિવસમાં 3 સિંહબાળના મોત નોંધાયા છે. ગાંધીનગરના પ્રિન્સિપાલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ જયપાલસિંહે સમગ્ર મામલે માહિતી આપી છે. વનવિભાગ દ્વારા સતત મોનીટરીંગ અને સિંહોની તપાસ હાથ ધરાઈ રહી છે. ધારી ગીર પૂર્વના DCF વિકાસ યાદવે જણાવ્યું કે અત્યાર સુધીમાં 350 જેટલા સિંહોની તપાસ કરવામાં આવી છે. અગાઉ 2018 અને 2020-21માં પણ આવા રોગચાળાથી અનેક સિંહોના મોત થયા હતા.

