VIDEO: અમદાવાદના નિકોલ વિસ્તારમાં મધુમાલતી આવાસ યોજનામાં પાણી ભરાવાની સમસ્યા યથાવત
સોર્સ : gstv
અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી મધુમાલતી આવાસ યોજના અને તેની આસપાસની નાની-મોટી ઇન્ડસ્ટ્રીઝમાં ચોમાસા દરમિયાન કમરસમા પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાય છે. વર્ષ 2017થી સતત આ પ્રકારની વિકટ પરિસ્થિતિનો સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓ સામનો કરી રહ્યા છે. આ અંગે સ્થાનિક ધારાસભ્ય, કોર્પોરેટર્સ તેમજ જવાબદાર અધિકારીઓને અનેકવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જ યોગ્ય પગલાં કે કાયમી નિકાલ લાવવામાં આવ્યો નથી, જેના કારણે લોકોમાં રોષ ફેલાયો છે.

