VIDEO: મેયરના વિસ્તારમાં જળબંબાકાર, લોકોના હાલ બેહાલ
સોર્સ : gstv
અમદાવાદના પ્રથમ નાગરિક મેયર હિતેશ બારોટના વિસ્તાર થલતેજમાં વરસાદી પાણી ભરાતા લોકોના હાલ બેહાલ થયા છે. મલાવ તળાવ નજીક વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ દર વર્ષે ચોમાસા દરમિયાન આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. શહેરમાં પડેલા પ્રથમ વરસાદ બાદ પણ તંત્રએ કોઈ બોધપાઠ લીધો ન હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. પાણી ભરાવાની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા સ્થાનિકોએ તંત્ર સમક્ષ માગ કરી છે.

